કોરોનાનો ડર! બે દિવસ પહેલા કોરોના પોઝિટિવ આવેલી મહિલા ડોક્ટરે 14માં માળેથી લગાવી મોતની છલાંગ

કોરોનાનો ડર! બે દિવસ પહેલા કોરોના પોઝિટિવ આવેલી મહિલા ડોક્ટરે 14માં માળેથી લગાવી મોતની છલાંગ
પ્રતિકાત્મક તસવીર

મહિલા અને તેના પતિનો બે દિવસ પહેલા કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. જોકે ડોક્ટર તરીકે ફરજ બજાવતી મહિલા રિપોર્ટ બાદ ડરી ગઈ હતી.

  • Share this:
    નોઈડાઃ કોરોના વાયરસની (coronavirus) મહામારીના પગલે લોકો શારીરિક રીતે પરેશાન થઈ રહ્યા છે ત્યારે લોકો માનસિક સંતુલન (Mental balance) પણ ગુમાવી રહ્યા છે. આવી સ્થિતિમાં લોકોએ ધિરજ અને સાવધાની રાખવાની જરૂર છે. અજાણતા લોકો કોરોનાના ડરમાં (Corona fear) અપ્રિય પગલું ભરી લેતા હોય છે. આવી જ ઘટના ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) ગ્રેટર નોઇડામાં (Greater Noida) સામે આવી છે. અહીં કોરોના સંક્રમિત મહિલા ડોક્ટરે 14માં માળેથી કૂદીને આત્મહત્યા (Lady doctor suicide) કરી લીધી હતી.

    આ ઘટના ગ્રેટર નોઈડા સૂરજપુર પોલીસ સ્ટેશનનો છે અહીં મહિલા અને તેના પતિનો બે દિવસ પહેલા કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. જોકે ડોક્ટર તરીકે ફરજ બજાવતી મહિલા રિપોર્ટ બાદ ડરી ગઈ હતી. અને ગભરાયેલી મહિલાએ બેલ્ડિંગના 14માં માળેથી મોતની છલાંગ લગાવી હતી.



    સેક્ટર 137ના પેરામાઉન્ટ સોસાયટીમાં આ ઘટના ઘટી છે. ઘટના સ્થળે પહોંચીનેપોલીસે લાશને કબજે કરીને આગળની કાર્યવાહી હાથધરી હતી.

    આ પણ વાંચોઃ-ચેતવણીરૂપ કિસ્સો! 29 વર્ષીય બહેને પોતાના નાના ભાઈના બાળકને આપ્યો જન્મ, નવજાતને કચરામાં ફેંક્યું

    આ પણ વાંચોઃ-બોયફ્રેન્ડને ફોન ઉપર સંભળાઈ પ્રેમિકાની ચીસો, બે દિવસ બાદ અર્ધનગ્ન હાલતમાં મળી યુવતીની લાશ

    આ પણ વાંચોઃ-રાજકોટઃ રેસ્ટોરન્ટમાં કરતા હતા કોરોના દર્દીઓની સારવાર, દિવસનો રૂ.18,000 વસૂતા ચાર્જ, રાજાણી પિતા-પુત્ર સામે ફરિયાદ

    આ પણ વાંચોઃ-અમદાવાદની યુવતીની કરુણ કહાની! પતિએ ઘરમાંથી કાઢી મૂકી, સંતાનો સાથે વાત પણ ન કરવા દીધી, મામલો પોલીસ પાસે પહોંચ્યો

    51 વર્ષીય આધેડે પોઝિટિવ રિપોર્ટ આવતા કરી આત્મહત્યા
    આ ઉપરાંત નોઈડામાંથી વધુ એક આત્મહત્યાના સમાચાર મળી રહ્યા છે. દિલ્હીના રહેવાશી 51 વર્ષીય વ્યક્તિની સારવાર કૈલાશ હોસ્પિટલમાં ચાલી રહી હતી. કોરોના વાયરસ સંક્રમિત થવાની પુષ્ટી થયા બાદ તે વ્યક્તિ ડિપ્રેશનમાં આવી ગયો હતો.



    જેના પગલે શુક્રવારે તેણે હોસ્પિટલના પાંચમા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. પરિવારના લોકોનો આરોપ છે કે પોલીસે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવા માટે ઇન્કાર કરી દીધો છે. પરિવારજનો દવો કરી રહ્યા છે કે આ અંગે પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી.undefined
    Published by:ankit patel
    First published:Apr 24, 2021, 4:16 pm

    टॉप स्टोरीज